You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay
ભાષા બદલો
Shingles
ભાષા બદલો

રુબેલા એ રુબેલા વાયરસથી થતો ચેપી રોગ છે, જેને રૂબેલા રસીકરણ (MMR રસીકરણ) ની મદદથી અટકાવી શકાય છે.

રસીકરણનું (વેક્સિનેશન) શેડ્યૂલ IAP માંથી લેવામાં આવ્યું છે* રસીકરણ (વેક્સિનેશન) અને રોગ-પ્રતિરક્ષણ માટેની સલાહકાર સમિતિ * ઇન્ડિયન એકેડેમી ઓફ પિડીયાટ્રીક્સ
જો તમે રસી (વેક્સીન) લેતા ચૂકી જાઓ તો તમારે શું કરવું જોઈએ?
કેચ-અપ રસીકરણ (વેક્સિનેશન)

જો તમે નિર્ધારિત સમય દરમિયાન આ રસીનો ડોઝ લેવાનો ચૂકી જાવ છો, તો તમે કેચ-અપ રસી લેવા માટે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

શું તમને ખબર છે?
  • • રૂબેલા સામે રક્ષણમાં મદદ કરવા માટેની રસી, મમ્પ્સ અને મિસલ્સ સાથે કોમ્બિનેશનમાં આપવામાં આવે છે
વિલંબ ન કરો!

રૂબેલા રસીકરણ વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

રૂબેલા શું છે?

જર્મન મિસલ્સ તરીકે પણ ઓળખાતું, રૂબેલા એક ચેપી વાયરલ ચેપ છે અને મોટે ભાગે બાળકો અને યુવાન વયસ્કોમાં થાય છે. તેને જર્મન મિસલ્સ પણ કહેવામાં આવે છે પણ તે મિસલ્સ કરતા અલગ વાયરસને કારણે થાય છે.

તે જન્મજાત ખામીઓનું મુખ્ય કારણ છે જેને રસીકરણ દ્વારા અટકાવી શકાય છે.

રૂબેલા કેવી રીતે ફેલાય છે?

રુબેલા મોટે ભાગે ચેપગ્રસ્ત લોકો દ્વારા હવાના ટીપાં દ્વારા ફેલાય છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ છીંક કે ઉધરસ ખાઈ છે ત્યારે આ વાયરસ ફેલાય છે.

ઉપરાંત, રૂબેલા ચેપ ધરાવતી સગર્ભા સ્ત્રીઓ તેના ગર્ભમાં રહેલા બાળકોને પણ આ ચેપ લગાવી શકે છે. .

રૂબેલાના લક્ષણો અને તેના કારણે થતી સમસ્યાઓ શું છે?

આ રોગ સામાન્ય રીતે બાળકોમાં હળવો હોય છે અને લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ફોલ્લીઓ, જે ચહેરા પર શરૂ થાય છે અને સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે

ઓછો તાવ

સુકાયેલું ગળું

હળવી આંજણી એટલે કે આંખની બળતરા

ઉબકા

કેટલાક મોટા બાળકો અને પુખ્ત વયના લોકોમાં ફોલ્લીઓ દેખાય તે પહેલા માથાનો દુખાવો અને સામાન્ય અસ્વસ્થતા પણ થઈ શકે છે.

ચેપગ્રસ્ત પુખ્ત વયના લોકો, મોટે ભાગે સ્ત્રીઓને સાંધામાં પીડા અથવા આર્થરાઇટિસ થઇ શકે છે જે લગભગ 3-10 દિવસ સુધી રહે છે.

સમસ્યાઓ

રુબેલા ચેપ સગર્ભા સ્ત્રીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે જેમ કે ગર્ભ મૃત્યુ અથવા વિકાસશીલ બાળકમાં ગંભીર જન્મજાત ખામી. આ રૂબેલાની સૌથી ગંભીર સમસ્યા છે.

કૉન્જેનિટલ રૂબેલા સિન્ડ્રોમ (CRS) એ પણ રૂબેલાની સમસ્યા છે.

જે બાળકો CRS ધરાવતા હોય તેઓ બહેરાશ, આંધળાપણું અને હૃદયમાં ખામી અને ઓટીઝમ, ડાયાબિટીસ મેલીટસ, થાઈરોઈડ ડિસફંક્શન સહિતની અન્ય આજીવન વિકલાંગતા જેવી મુશ્કેલીઓનો ભોગ બની શકે છે.

ઉપરોક્તમાંથી ઘણાને મોંઘી થેરેપી, સર્જરી અને અન્ય મોંઘી સંભાળની જરૂર પડી શકે છે.

બાળકોને રુબેલા માટેની રસી (MMR રસી) ક્યારે લેવી જોઈએ?

બાળકોને ત્રણ ડોઝ લેવા જોઈએ:

• 9 મહિનાની ઉંમરે પેલો ડોઝ

• 15 મહિનાની ઉંમરે બીજો ડોઝ

• 4 થી 6 વર્ષની વચ્ચે ત્રીજો ડોઝ

ત્રીજો ડોઝ, બીજા ડોઝના 8 અઠવાડિયા પછી કોઈપણ સમયે પણ આપી શકાય છે.

કેચ-અપ રસીકરણ:

શાળાએ જતા તમામ બાળકો અને કિશોરો, કે જેમણે અગાઉ રુબેલા માટેની રસી (MMR રસીકરણ) લીધી નથી, તેમને 2 ડોઝ લેવા જરૂરી છે.

જો તેઓને એકવાર રસી આપવામાં આવી હોય, તો માત્ર એક જ ડોઝ આપવાની જરૂર છે

2 ડોઝ વચ્ચેનો ઓછામાં ઓછો અંતરાલ 4 અઠવાડિયા હોવો જરૂરી છે

જો કે, વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

રુબેલા રસીકરણ (MMR રસીકરણ) સાથે સંકળાયેલી

સામાન્ય આડઅસરો શું છે?

મોટાભાગના બાળકોને રસીકરણ પછી આડઅસર થતી નથી. આડઅસરો, જો કોઈ હોય તો, મોટે ભાગે હળવી હોય છે અને તેમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

• રસી લીધી હોય તે સ્થાને દુખાવો, સોજો અથવા લાલાશ

• તાવ

• નાની ફોલ્લીઓ

• સાંધામાં થોડા સમય સુધી દુખાવો અને જડતા

ભાગ્યે જ, આડઅસરોમાં ખુબ વધારે તાવ શામેલ હોઈ શકે છે જે હુમલા તરફ દોરી શકે છે.

વારંવાર પુછાતા પ્રશ્નો

How serious is Rubella?-

તે જન્મજાત ખામીઓનું મુખ્ય કારણ છે જેને રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. સગર્ભા સ્ત્રીઓમાં*, રૂબેલા ગર્ભ મૃત્યુ અથવા જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે.

જો રૂબેલા વાયરસથી, સગર્ભા સ્ત્રી, કે જેને રસી લીધી નથી, તે સંક્રમિત થાય છે, તો ગર્ભ મૃત્યુ થવાની સંભાવના છે અથવા તેનું બાળક જન્મ્યા પછી તરત જ મરી શકે છે.

તેઓ તેમના ગર્ભમાં હોય તે બાળકને પણ વાયરસ આપી શકે છે જે ગંભીર જન્મજાત ખામીઓ વિકસાવી શકે છે જેમ કે:

હૃદયની સમસ્યાઓ

આંધળાપણું અથવા બહેરાશ

બુદ્ધિનો વિકાસ ન થવો

લીવર અથવા સ્પ્લિનને નુકસાન

જ્યારે સગર્ભા સ્ત્રીઓ પ્રથમ ત્રણ મહિનામાં સંક્રમિત થાય છે ત્યારે આવી ગંભીર જન્મજાત ખામીઓ સામાન્ય છે. આ જન્મજાત ખામીઓને CRS અથવા કૉન્જેનિટલ રૂબેલા સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.

*ગર્ભાવસ્થાના પ્લાનિંગના 3 મહિના પહેલા MMR રસી લેવી જોઈએ.

રૂબેલાની સારવાર શું છે?-

તેની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી. આ રોગ મોટે ભાગે રૂબેલાની રસી દ્વારા અટકાવવામાં આવે છે.

MMR રસી કોને ન લેવી જોઈએ જોઈએ?

- • જેમને પહેલા MMR રસીનો ડોઝ લીધો હોય અને તે ડોઝ અથવા રસીના કોઈપણ વિશિષ્ટ ભાગથી તેઓને ગંભીર અને હોય શકે છે જીવલેણ એલર્જીક રિએક્શન થયા હોય.

• જેઓ MMR રસી લેતી વખતે બીમાર હોય.

• કૃપા કરીને ડૉક્ટરને પૂછો કરો જો રસી લેનારને:

1. HIV/AIDS અથવા અન્ય કોઈ રોગ છે જે તેમની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે 2.

2 અઠવાડિયા કે તેથી વધુ સમયથી, રોગપ્રતિકારક શક્તિને અસર કરતી સ્ટેરોઇડ્સ જેવી દવાઓ સાથે તેમની સારવાર કરવામાં આવે છે,

3. કોઈપણ પ્રકારનું કેન્સર છે

4. દવાઓ અથવા રેડિયેશન વડે કેન્સરની સારવાર ચાલુ છે

5. તાજેતરમાં રક્તદાન કરાવ્યું હતું અથવા અન્ય રક્ત ઉત્પાદનો આપવામાં આવ્યા હતા

સગર્ભા સ્ત્રીઓ અને સ્ત્રીઓ જે બાળક માટે પ્લાનિંગ કરી રહી છે.

ગર્ભાવસ્થાના પ્લાનિંગના 3 મહિના પહેલા રુબેલા માટેની રસી લેવી જોઈએ.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker